Search Now

Bal Gangadhar Tilak In Gujarati



  • બાલ ગંગાધર તિલક (કેશવ ગંગાધર તિલક) નો જન્મ 23 જુલાઈ, 1856 ના રોજ વર્તમાન મહારાષ્ટ્ર (તત્કાલિન બોમ્બે પ્રેસિડેન્સી) ના રત્નાગીરી જિલ્લામાં થયો હતો.
  • તે એક વિદ્વાન, ગણિતશાસ્ત્રી, દાર્શનિક, પત્રકાર, સમાજ સુધારક અને ઉગ્ર રાષ્ટ્રવાદી હતા.
  • બાલ ગંગાધર તિલકને ઘણી વાર વસાહતી શક્તિઓ દ્વારા 'ભારતીય અશાંતિના પિતા'(Father of the Indian Unrest)તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ 'સ્વરાજ' ની વાત કરનાર પ્રથમ અને સૌથી મજબૂત વકીલોમાથી એક હતા.

સર વૈલેંટાઇન શિરોલે તિલકને 'ભારતીય અશાંતિના જનક' ગણાવ્યા હતા.


  • 'સ્વરાજ એ મારો જન્મ અધિકાર છે અને હું એ લઈને જંપીશ' તેમના દ્વારા આપવામા આવેલ સૂત્ર છે. 
  • ભગવાન ગણેશની પૂજા માટે ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવ વગેરે જેવા ભવ્ય જાહેર કાર્યક્રમોમાં પરિવર્તન લાવવામાંં તિલકે મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • તિલકે 'કેસરી' અને 'ધ મરાઠા' નામના બે સાપ્તાહિક અખબારો દ્વારા લોકોમાં રાજકીય ચેતનાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.
  • વર્ષ 1908 માં 'કેસરી' માં પ્રકાશિત લેખોના આધારે તિલક પર રાજદ્રોહનો કેસ ચલાવીને 6 વર્ષની સજા સંંભળાવીને માંડલે જેલમાં (બર્મા) મોકલવામાં આવ્યા હતા. તેના વિરોધમાં બોમ્બેમાં ટેક્સટાઇલ મિલના કામદારોએ દેશમાં પહેલી રાજકીય હડતાલ કરી હતી.
  • તેમણે માંડલે જેલમાં 'ગીતા રહસ્ય' નામનું પુસ્તક લખ્યું હતું.
  • તિલક 1884 માં સ્થપાયેલ ડેક્કન એજ્યુકેશન સોસાયટી(Deccan Education Society) ના સ્થાપક સભ્યોમાંના એક હતા.
  • બાલ ગંગાધર તિલકનું 1 ઓગસ્ટ 1920 ના રોજ અવસાન થયું.


0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel