Vice President Of India
Monday, July 27, 2020
Add Comment
ભારતના ઉપરાષ્ટ્રપતિ
- ભારતમાં ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો અમેરિકાના બંધારણમાથી લેવામા આવ્યો છે.
- ઉપરાષ્ટ્રપતિનું પદ એ દેશમાં રાષ્ટ્રપતિ પદ પછીનું બીજા ક્રમનું સૌથી મહત્વનું પદ છે.
- ઉપરાષ્ટ્રપતિ એ સંઘની કારોબારીનો એક ભાગ છે.
અનુચ્છેદ 63
આ અનુચ્છેદમાં
ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે તેવી જોગવાઇ છે.
અનુચ્છેદ 64
આ અનુચ્છેદ મુજબ
ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે.
અનુચ્છેદ 89 (1)
માં પણ લખ્યુ છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે.
પગારની જોગવાઈ-
અનુચ્છેદ 97 - રાજ્યસભાના સભાપતિના પગાર-ભથ્થા
સંસદ નક્કી કરે તે રહેશે. પરંતુ અનુચ્છેદ 64માં લખ્યુ છે કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે ત્યારે તેમને રાજ્યસભાના સભાપતિ તરીકેના પગાર ભથ્થા
મળતા નથી.
અનુચ્છેદ 65
અનુચ્છેદ 65
(1)- રાષ્ટ્રપતિના રાજીનામા, મૃત્યુ, પદભ્રંશ અથવા બીજા કારણે
રાષ્ટ્રપતિનો પદ ખાલી પડે ત્યારે નવા રાષ્ટ્રપતિ ના ચૂંટાય ત્યા સુધી ઉપરાષ્ટ્રપતિ ષ્ટ્ર્પતિ તરીકે કાર્ય કરે છે.
અનુચ્છેદ 65
(2)- ગેરહાજરી, માંદગી અથવા અન્ય કારણે રાષ્ટ્રપતિ કાર્યો નિભાવી ન શકતા હોય
ત્યારે
ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના કાર્યો કરે છે. પરંતુ રાષ્ટ્રપતિ હોદ્દો સંભાળવા તૈયાર
થઈ જાય તો તેમને હોદ્દો છોડવો પડશે.
અનુચ્છેદ 65
(3)-જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય ત્યારે તેમને
રાષ્ટ્રપતિની તમામ સત્તાઓ મળશે. અને તેમના પગાર-ભથ્થા સંસદ નક્કી કરે તે રહેશે.
નોધ-
જ્યારે
રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારે નવા રાષ્ટ્રપતિ જ્યાં સુધી પોતાનો હોદ્દો
ના સંભાળે ત્યારે જુના રાષ્ટ્રપતિ તેમનાં હોદ્દા પર બનેલા રહેશે. અહી ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ બનશે નહી.
અનુચ્છેદ 66
અનુચ્છેદ 66 (1)
–
- સંસદના બંને ગૃહોના તમામ સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં મતદાન કરે છે.
- પ્રમાણસર પ્રતિનિધિત્વ
અનુસાર ક્રમિક મતપદ્ધતિથી ઉપરાષ્ટ્રપતિની ચુંટણી થાય છે.
- ગુપ્ત મતદાન દ્વારા ચુંટણી
થાય છે.
અનુચ્છેદ 66 (2) – ઉપરાષ્ટ્રપતિ
લોકસભા/રાજ્યસભા/વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય ના હોવો જોઇએ. જો આમાનો કોઇ સભ્ય
ઉપરાષ્ટ્રપતિ બને તો તેને પોતાની બેઠક ખાલી કરવી પડે.
અનુચ્છેદ 66 (3)- આ અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ
બનવા માટેની લાયકાત દર્શાવવામાં આવિ છે.
(ક) ભારતનો નાગરિક હોવો જોઈએ
(ખ) 35 વર્ષ કે તેથી વધુની ઉંમર
(ગ) રાજ્યસભામાં સભ્ય તરીકે ચુંટાવવાની લાયકાત
અનુચ્છેદ 66 (4) – લાભનો પદ ધરાવતી વ્યક્તિ
ઉપરાષ્ટ્રપતિ બની શકે નહી.
( લાભના પદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, તથા કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓનો સમાવેશ થતો નથી )
અનુચ્છેદ 67
આ અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત
દર્શાવવામાં આવી છે.
અનુચ્છેદ 67 – ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત
તે હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષની રહેશે.
(ક) ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું
રાજીનામું આપે છે.
(ખ)14 દિવસની નોટીસ પાઠવીને ઉપરાષ્ટ્રપતિને દૂર
કરવા માટેનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં લાવી શકાય છે. રાજ્યસભામાં આ પ્રસ્તાવને
સંપૂર્ણ બહુમતી ( કુલ સભ્યના 50% મત)થી પસાર કરવામાં આવે અને લોકસભાની સહમતી મળે
તો ઉપરાષ્ટ્રપતિ તેમના હોદ્દા પરથી હટી જશે.
(ગ) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત પૂરી થવા
છતાં નવા ઉપરાષ્ટ્રપતિ જ્યાં સુધી હોદ્દો ના સંભાળે ત્યાં સુધી તેઓ પોતાના હોદ્દા
પર બનેલા રહેશે.
અનુચ્છેદ 68
અનુચ્છેદ 68 (1) – ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ
પુર્ણ થાય તે પહેલા નવા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી થવી જોઇએ.
અનુચ્છેદ 68 (2) – ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા, પદભ્રંશ અથવા અન્ય કારણે
તેમનો હોદ્દો ખાલી પડે તો બનતી ત્વરાએ ચુંટણી કરવી અને ચુંટાયેલ નવા
ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે.
અનુચ્છેદ 69
ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દાના શપથ રાષ્ટ્રપતિ
અથવા તેમણે નીમેલ વ્યક્તિ દ્વારા અપાવવામાં આવે છે.
અનુચ્છેદ 71(1)
ઉપરાષ્ટ્રપતિની ચુંટણી સંબંધીત તમામ વિવાદોની
તપાસ કરવાની અને નિર્ણય લેવાની સત્તા સર્વોચ્ચ અદાલતની છે અને તેનો આવો નિર્ણય
આખરી રહે છે.
અન્ય માહિતી
- રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચુંટણી અધિનિયમ-1952
માં ઉપરાષ્ટ્રપતિની ચુંટણી સંબંધિત વિશેષ જોગવાઈઓ કરાયેલી છે, જે મુજબ મતદારમંડળમાના કોઈ પણ 20 સભ્યોએ ઉમેદવારના નામનો
પ્રસ્તાવ મૂકેલો હોવો જોઇએ અને બીજા 20 સભ્યોએ તેને સમર્થન આપેલુ હોવુ જોઇએ.
- દરેક ઉમેદવારે રિઝર્વ બેંક ઓફ ઇંડિયામાં રૂપિયા 15,000 ની સિક્યોરીટી ડિપોઝીટ
ભરવાની હોય છે.
- ઉપરાષ્ટ્રપતિ પેન્શન એક્ટ-1997 દ્વારા તેમને પગારનું અડધુ પેન્શન મળે છે.
- બંધારણના મુળ સ્વરૂપમાં જોગવાઇઓ હતી કે ઉપરાષ્ટ્રપતીની ચુંટણી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં થશે. પરંતુ આ જોગવાઇને વર્ષ 1961માં 11માં બંધારણીય સુધારા દ્વારા દુર કરવામાં આવી.
અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિ
1. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન – 1952-1962
2. ડો. જાકીર હુસેન- 1962-1967
3. વી.વી.ગીરી- 1967-1969
4. ગોપાલ સ્વરૂપ પાઠક – 1969-1974
5. બી.ડી.જટ્ટી- 1974-1979
6. જસ્ટીસ મો. હિદાયતુલ્લા- 1979-1984
7. આર. વેંકટરામન – 1984-1987
8. ડો. શંકર દયાલ શર્મા- 1987-1992
9. કે.આર.નારયણન- 1992-1997
10. કૃષ્ણકાંત – 1997-2002
11. ભૈરોસિંહ શેખાવત – 2002-2007
12. મોંહમદ હામિદ અનસારી- 2007-2017
13. વૈંકૈયા નાયડુ – 2017- હાલ સુધી
IMP FACTS
- પ્રથમ ઉપરાષ્ટ્રપતિ- ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
- બે વખત ઉપરાષ્ટ્રપતિ બનનાર- ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને મોંહમદ હામિદ અનસારી
- સૌથી ઓછા સમય માટે ઉપરાષ્ટ્રપતિ રહેનાર- વી.વી.ગીરી
- ઉપરાષ્ટ્રપતિ જે રાષ્ટ્રપતિ પણ રહી ચુક્યા છે- ડો.
સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડો. જાકીર હુસેન, વી.વી.ગીર, આર. વેંકટરામન, ડો.
શંકર દયાલ શર્મા, કે.આર.નારયણન
- વી.વી.ગીરી અને બી.ડિ.જટ્ટી તેમના કાર્યકાળ સમયે રાષ્ટ્રપતિનું મૃત્યુ થતાં રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળી ચુક્યા છે.
- મો.હિદાયતુલ્લા કાર્યાકારી રાષ્ટ્રપતિ, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ તથા ઉપરાષ્ટ્રપતિ રહી ચુક્યા
છે.
0 Komentar
Post a Comment