હીમોફીલિયા દિવસ
હીમોફીલિયા દિવસ
વિશ્વભરમાં 17 એપ્રિલના રોજ હીમોફીલિયા
દિવસ (World
Hemophilia Day 2021) ઉજવવામાં આવે છે.
હેતુ
આ દિવસને ઉજવવાનો હેતુ એ છે કે
લોકો આ બીમારી વિશે જાણે અને તેને લઈને જાગૃત (Awareness) થાય. આ એક પ્રકારનો
ડિસઓર્ડર છે, જેના કારણે આપણા શરીરમાં લોહી (Blood)
પર તેની અસર થાય છે. હીમોફીલિયાથી પીડિત વ્યક્તિને જ્યારે અંદરની
તરફ અથવા બહારની તરફ વાગે છે, ત્યારે લોહી વહેવાનું ચાલુ
જ રહે છે. આ લોહી જામી નથી શકતું. જેને હીમોફીલિયા કહેવાય છે. આ બીમારીના કારણે
ઘણા લોકો માટે ખતરો પેદા થઇ જાય છે.
વિશ્વ હીમોફીલીયા દિવસ 2021 થીમ - Adapting to Change, sustaining care in a new world
ઇતિહાસ
આ દિવસને ઉજવવાની શરૂઆત વર્ષ 1989માં કરાઈ હતી. ત્યારથી
આ દિવસ દર વર્ષે 'વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયા'ના સંસ્થાપક ફ્રેંક
કેનેબલના જન્મદિવસ એટલે કે 17 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
WFH એ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે લોકોને આ રોગ પ્રતિ જાગૃત કરવા અને તેના દર્દીઓ માટે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયાના
સંસ્થાપક ફ્રેન્ક કેનેબલનું અવસાન 1987માં સંક્રમિત
બ્લડથી એઇડ્સ થવાથી થયું હતું.
આ રોગનું કારણ બ્લડ પ્રોટીનની કમી હોય છે. જેને ક્લોટિંગ ફેક્ટર કહેવાય છે. આ બીમારી લોહીમાં થ્રામ્બોપ્લસ્ટિન નામના પદાર્થની કમીથી થાય છે.
0 Komentar
Post a Comment