હળપતિઓને સગવડ
Saturday, August 26, 2023
Add Comment
હળપતિઓને સગવડ
- હળપતિ જાતિ એ ગુજરાતની અત્યંત પછાત અનુસૂચિત જનજાતિ છે. તેઓ દક્ષિણ ગુજરાતના મેદાની વિસ્તારોમાં રહે છે અને બિન આદિજાતિ કુટુંબોની વચ્ચે જ છૂટાછવાયા વસે છે. તેઓ અન્ય આદિવાસીઓની જેમ રાજ્યની પૂર્વીય પ્રદેશમાં ઘનિષ્ઠ રીતે વસતા નથી.
- હળપતિ જાતિની વસતિ રાજ્યની આદિજાતિ વસતિમાં ૬.૭% જેટલી છે. તેઓ મુખ્યત્વે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વસે છે અને જમીન વિહોણા ખેતમજૂરો છે. તેથી તેમની આર્થિક પરિસ્થિતિ નબળી રહે છે. માત્ર ૧૦% જેટલા હળપતિ જ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસાય જેમકે નોકરી અને નાના મોટા કામમાં જોડાયેલા છે.
- સરકારે તેમના તા. ૨૫-૧૧-૨૦૧૩ ના ઠરાવથી હળપતિઓને છ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ઠરાવ કર્યો. આ યોજના અંતર્ગત આવાસ, વીજળી, રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ અને આર્થિક વિકાસ વગેરે પાયાની જરૂરિયાતો હળપતિ જાતિના લોકોને ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે.
- આવાસ | આ યોજનામાં નવા ઘર બનાવવા માટે અગર હાલના નિવાસોમાં સુધારો કરવા માટે સહાય આપવાની જોગવાઈ છે.
- વીજળી | ઘરમાં વીજળીનું જોડાણ.
- માર્ગ | આંતરિક રસ્તાઓ, એપ્રોચ રસ્તાઓ અને મુખ્ય માર્ગો સાથે જોડાણ રસ્તાઓ.
- પીવાનું પાણી | સલામત પીવાનું પાણી અન્ય શક્ય હોય ત્યાં પાઈપલાઈન સાથે જોડાણ.
- શિક્ષણ | ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ પર ઝોક.
- આર્થિક વિકાસ | આજીવિકા પૂરી પાડતી યોજનાઓના લાભ.
0 Komentar
Post a Comment