વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
Tuesday, September 26, 2023
Add Comment
વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
- સુશ્રી વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
- જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કરી હતી.
- ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવશે.
- 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
નીચેના સભ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિનો ભાગ હતા:
- શ્રીમતી આશા પારેખ
- શ્રી ચિરંજીવી
- શ્રી પરેશ રાવલ
- શ્રી પ્રોસેનજિત ચેટર્જી
- શ્રી શેખર કપૂર
- વર્ષોથી પીઢ અભિનેત્રીએ તે પ્રાપ્ત કર્યું જે તેના સમયની ખૂબ જ ઓછી અભિનેત્રીઓ કરી શકે.
- પોતાની અભિનય ક્ષમતાથી વહીદા રહેમાને ઢગલાબંધ એવોર્ડ જીત્યા હતા. ગાઇડ (1965) અને નીલ કમલ (1968)માં તેમની ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.
- અભિનેત્રીએ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર (1971) પણ જીત્યો હતો અને 1972માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી, બાદમાં 2011માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવી હતી.
- વહીદા રહેમાને પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં 90થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને વિવેચકોની નોંધપાત્ર પ્રશંસા મેળવી છે.
0 Komentar
Post a Comment