આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
Monday, December 9, 2024
Add Comment
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 2024: 9 ડિસેમ્બર
- આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ દર વર્ષે 9 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.
- આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 2024 ની થીમ "ભ્રષ્ટાચાર સામે યુવાનો સાથે એકતા: આવતીકાલની અખંડિતતાને આકાર આપવો." (“Uniting with Youth Against Corruption: Shaping Tomorrow's Integrity.”)
- યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) દર વર્ષે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (IACD) નું આયોજન કરે છે.
- યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ભ્રષ્ટાચાર અંગે જાગૃતિ લાવવા માટે 9 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે અપનાવ્યો હતો. આ દિવસ 2005 થી દર વર્ષે ઉજવવામાં આવે છે.
- 2003માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ભ્રષ્ટાચાર સામે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અપનાવ્યું હતું. આ સંમેલન ડિસેમ્બર 2005માં અમલમાં આવ્યું હતું.
- 2023ના વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત 93મા ક્રમે હતું.
0 Komentar
Post a Comment